જોડીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ હેલ્પર/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલા બારાડી, આણંદા, કેશીયા, માનપર, જશાપર, બોડકા, મઘાપર, કોઠારીયા, જામસર, માવનુગામ, તારાણાધાર અને બાલંભા/બીનાધાર ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર અને હેલ્પરની અલગ-અલગ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ જોડીયા મામલતદારની કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ આવીને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે. આગામી તારીખ 26/06/2024 સુધીમાં આ અરજી પત્રક સંપૂર્ણ સાચી વિગતો ભરીને અત્રેની કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. કચેરી સમય દરમિયાન સવારના 11:00 કલાકથી સાંજના 06:00 … Continue reading જોડીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ હેલ્પર/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે